Saturday, March 13, 2010

મનોવ્યાપાર અટકળને તરસનું નામ આપી દો,

મનોવ્યાપાર અટકળને તરસનું નામ આપી દો,
ફકત એકાદ તો અનહ છલકતો જામ આપી દો.

પછી સંબંધ જેવું વિસ્તરે અઢળક તમારાથી,
ઋણાનું બંધંનમાં સમથળ ઋચા સરિયામ આપી દો.

સમય આવ્યે ઊગે સૂરજ અને ઢોળાય રંગો પણ,
નરી રંગોની મિલકતને નવા આયામ આપી દો.

ખરે ખીલે નગરની રિકત ઘટનાઓ વ્યસ્થામય,
ધરા આકાશ, ઓજશ, જળ,પવન નિષ્કામ આપી દો.

પડે પરદા ઊઠે પરદા નડે પરદા ખરે પરદા,
હઠે આચ્છાદનો હળવા સહજ અંજામ આપી દો.

-ગુણવંત ઉપાધ્યાય(ભાવનગર)

No comments: